Home> Gujarat
Advertisement
Prev
Next

CM રૂપાણીના અધ્યક્ષ સ્થાને આજે Unlock-3ની જાહેર થયેલી ગાઈડલાઈન સંદર્ભે મહત્વની બેઠક

અનલોક-3 ગાઈડલાઈનની અમલવારી, વેપાર-ધંધા કેટલા વાગ્યા સુધી ચાલુ રાખવા વગેરે વિશે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. 

CM રૂપાણીના અધ્યક્ષ સ્થાને આજે Unlock-3ની જાહેર થયેલી ગાઈડલાઈન સંદર્ભે મહત્વની બેઠક

હિતલ પારેખ, ગાંધીનગર: બુધવારે કેન્દ્ર સરકાર દ્વારા અનલોક 3 (Unlock-3) ની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી. મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Vijay Rupani) ના અધ્યક્ષ સ્થાને આજે અનલોક-3ની આ જાહેર કરેલી guideline સંદર્ભે એક બેઠક યોજાશે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી અનલોક-3ની ગાઈડલાઈનનો રાજ્ય સરકાર અભ્યાસ કરશે.

fallbacks

ગુજરાત સરકાર કેન્દ્ર સરકારની unlock-3ની ગાઈડ લાઈન પ્રમાણે ગુજરાતમાં પહેલી ઓગસ્ટથી અમલવારી કરશે. જોકે વેપાર-ધંધા કેટલા વાગ્યા સુધી ચાલુ રાખવા તેનો નિર્ણય પણ કરવામાં આવશે.  કેન્દ્ર સરકારે રાત્રી કરફ્યૂ દૂર કર્યો છે તો ગુજરાતમાં તેનો અમલ કેવી રીતે કરવો તેની પણ હાઈ પાવર કમિટીમાં ચર્ચા વિચારણા કરી સત્તાવાર જાહેરાત થાય તેવી સંભાવના છે. 

અત્રે જણાવવાનું કે ગઈ કાલે એટલે બુધવારે કેન્દ્ર સરકાર દ્વારા અનલોક-3ની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી. જે મુજબ અનેક છૂટછાટ વધારાઈ છે. ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા દિશા-નિર્દેશોમાં 5 ઓગસ્ટથી જીમ ખોલવાની પરવાનગી આપી છે. સાથે જ સરકારે નાઇટ કર્ફ્યૂંને હટાવી દીધો છે. મેટ્રો, રેલ અને સિનેમાઘર પર પાબંધી યથાવત રહેશે. 

સરકારે કહ્યું કે સ્વતંત્રતા દિવસના કાર્યક્રમ સોશિયલ ડિસ્ટેંસિંગ સાથે યોજવામાં આવશે. આ ઉપરાંત અન્ય સ્વાસ્થ્ય પ્રોટોકોલનું પાલન કરવું પડશે. જેમ કે માસ્ક પહેરવું. 

ગૃહ મંત્રાલયે જણાવ્યું કે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સાથે વ્યાપક ચર્ચા કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે કે સ્કૂલ કોલેજ અને કોંચિંગ સંસ્થા 31 ઓગસ્ટ સુધી બંધ રહેશે. વંદે ભારત મિશન હેઠળ સીમિત સંખ્યામાં આંતરરાષ્ટ્રીય હવાઇ યાત્રાને પરવાનગી આપવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય ઉડાનોને લઇને સરકાર પછી નિર્ણય લેશે. 

કન્ટેઈન્મેન્ટ ઝોનમાં 31 ઓગસ્ટ સુધી લોકડાઉનનું કડકાઇપૂર્વક લાગૂ કરવાનું યથાવત રહેશે. નિર્માણ ગતિવિધિઓ ચાલશે પરંતુ સામાજિક અંતર અને માસ્કનું પાલન કરવું પડશે. આ ગાઇડલાઇન્સ તમામ જિલ્લા કલેક્ટરો અને રાજ્ય સરકારોની વેબસાઇટો પર જાહેર કરવામાં આવશે. 

મેટ્રો રેલ, સિનેમા હોલ, સ્વિમિંગ પૂલ, થિયેટર, બાર, ઓડિટોરિયમ, એસેંબલી હોય પહેલાંની માફક બંધ રહેશે. સરકારે જે છૂટ આપી છે તે કંન્ટેનમેંટ ઝોનથી બહાર માટે આપી છે. કન્ટેનમેંટ ઝોનમાં પાબંધી યથાવત રહેશે. 

દેશના તમામ કેન્ટેઈન્મેન્ટ ઝોનની દેખરેખ કેન્દ્ર સરકાર કરશે. રાજ્ય સરકારોએ કન્ટેઈન્મેન્ટ ઝોનની બહારની ગતિવિધિઓ પર નિર્ણય લેવાનો છે. રાજ્ય અને સંધ રાજ્ય ક્ષેત્ર કન્ટેઈન્મેન્ટ ઝોનની બહારની કેટલીક ગતિવિધિઓને પ્રતિબંધિત કરી શકે છે. 

જુઓ LIVE TV

કોઇ રાજ્યની અંદર અને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં લોકો તથા વસ્તુઓની અવર જવર પર કોઇ પ્રતિબંધ રહેશે નહી. તેના માટે પરવાનગી અથવા ઇ-પરમિટ લેવાની જરૂર પડશે નહી. અનલોક 3માં કોવિડ 19 પર કેન્દ્ર સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા પ્રોટોકોલ સંપૂર્ણપણે લાગૂ રહેશે. તમામ દુકાનો ખુલી રહેશે. પરંતુ દુકાનદારોને ગ્રાહકો વચ્ચે પુરતુ સામાજિક અંતરનું ધ્યાન રાખવું પડશે. લોકોને આરોગ્ય સેતુ એપનો ઉપયોગ કરવો પડશે. બિમાર વ્યક્તિઓ, ઘરડા, બાળકો અને ગર્ભવતી મહિલાને બની શકે તો પોતાના ઘરમાં જ રહેવું. 

લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More